Color Mode Toggle

Promoted By:
Image 1 Image 2 Image 3 Image 4
POPULAR SEARCHES: NSFETENDERSFEPA

Promoted By:

નેશનલ સ્ટ્રેટેજી ફોર ફાઇનાન્શ્યલ એડયુકેશન

ધ નેશનલ સ્ટ્રેટેજી ફોર ફાઇનાન્સિયલ એજ્યુકેશન (એનએસએફઇ): 20 ઓગસ્ટ, 2020 ના રોજ નાણાકીય સમાવેશ અને નાણાકીય સાક્ષરતા પરના તકનીકી જૂથના વડા (ટીજીએફઆઈએફએલ) – ડેપ્યુટી ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા 20 ઓગસ્ટ 2020 ના રોજ દસ્તાવેજ બહાર પાડવામાં આવ્યો છે. વ્યૂહરચનાએ દેશમાં નાણાકીય શિક્ષણના પ્રસાર માટે ‘5 સી’ અભિગમની ભલામણ કરી છે.

આ એનએસએફઈ વર્ષ 2020-25 ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે 2013-18ના એનએસએફઈ પછીનું બીજું છે, જે નેશનલ સેન્ટર ફોર ફાયનાન્સિયલ એજ્યુકેશન (એનસીએફઈ) દ્વારા તમામ નાણાકીય ક્ષેત્રના નિયમનકારો (આરબીઆઈ, સેબી, આઈઆરડીએઆઈ અને પીએફઆરડીએ), ડીએફએસ અને ભારત સરકારના અન્ય મંત્રાલયો તથા અન્ય હિતધારકો (ડીએફઆઈ, એસઆરઓ, આઈબીએ, એનપીસીઆઈ) સાથે પરામર્શ કરીને આર.બી.આઈ. ના ડેપ્યુટી ગવર્નર ની અધ્યક્ષતા હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે.

વ્યૂહરચનાના ‘5 સી’ અભિગમમાં શાળાઓ, કોલેજો અને તાલીમ સંસ્થાઓમાં અભ્યાસક્રમમાં પ્રસ્તુત સામગ્રીના વિકાસ પર ભાર મૂકવા, નાણાકીય સેવાઓ પ્રદાન કરવામાં સામેલ મધ્યસ્થીઓ વચ્ચે ક્ષમતા વિકસાવવા, યોગ્ય સંચાર વ્યૂહરચના મારફતે નાણાકીય સાક્ષરતા માટે સમુદાયની આગેવાની હેઠળના મોડેલની હકારાત્મક અસરનો લાભ લેવા અને વિવિધ હિતધારકો વચ્ચે સહયોગ વધારવાનો સમાવેશ થાય છે.

અમારા ન્યૂઝલેટર્સને સબ્સ્ક્રાઇબ કરો

નવીનતમ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આજે જ સાઇન અપ કરો

Skip to content